We will fetch book names as per the search key...
પુસ્તક વીશે -
"પ્રેત સાથે ઈશ્ક" એક ક્રાઈમ નવલકથા છે. જેમાં કોલેજના પ્રોફેસર અને પ્રિન્સિપલ દ્વારા વિધ્યાર્થીઓ સાથે કરવામાં આવતાં દુષ્કર્મનો ઉલ્લેખ થયેલો છે. આ તદન કાલ્પનિક નવલકથા છે જેનો કોઈ પણ સત્ય ઘટના, સ્થળ, વ્યક્તિ કે વસ્તુ સાથે સંબંધ નથી. કેટકેટલાંયે વિધ્યાર્થીઓની જિંદગી બરબાદ કર્યા પછી ગુનેગારોના ગુનાહનો પર્દાફાશ થાય છે. એક નાનકડી પ્રેમકહાનીનું આલેખન થયેલું છે. સંપુર્ણ નવલકથા કોલેજના વાતાવરણની આસપાસ ઘુમતી રહે છે. કોલેજના વિધ્યાર્થીઓ સાથે થઈ રહેલા અન્યાયનો બે પ્રેત આત્મા દ્વારા અંત આવે છે. આ બંને પ્રેત આત્મા પણ એજ કોલેજના વિધ્યાર્થીઓ હતાં. અન્ય વિધ્યાર્થીઓની જેમ તેમની સાથે પણ અન્યાય થાય છે પરંતુ તે બંને મોત ને ભેટે છે. તેમની અધુરી રહીગયેલી ઈચ્છાને કારણે સંપુર્ણ મુક્તિ ન મળતાં તે પ્રેત બની જાય છે અને કોલેજના પ્રોફેસર અને પ્રિન્સિપલ સાથે પોતાની સાથે અને અન્ય વિધ્યાર્થીઓની સાથે થયેલાં અન્યાયનો બદલો લેવા માટે આવે છે.
લેખક વીશે -
મારું નામ જયદિપ ભરોળિયા. ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં ૨૧-૬-૨૦૦૦ ના રોજ મારો જન્મ થયો હતો. મારાં પિતાનું નામ રમેશભાઈ અને માતાનું નામ પારૂલબેન છે. હાલમાં જે.ઝેડ.શાહ આર્ટસ એન્ડ એચ.પી.દેસાઈ કોર્મસ કોલેજ અમરોલી સુરત માં બી.એ માં અભ્યાસ કરી રહ્યો છું. જીવનમાં પહેલીવાર દીલથી કોઈ વ્યક્તિ ગમી હતી. ત્યારે પ્રેમ અને લાગણીથી ભીંજાયેલા સંબંધમાં બંધાયો હતો. આથી હું મારું મોટા ભાગનું સાહિત્ય પ્રેમ વિષય પર લખું છું. કવિતા, નવલકથા, ટુંકી વાર્તા અને સુવિચારો લખવાનો મને ખુબ શોખ છે. મને જરાયે આશા ન હતી કે હું ૧૮ વર્ષની ઉંમરે આટલું સરસ લખતો હોઈશ.
લેખક બનવું એ મારું સ્વપ્ન ન હતું. અત્યાર સુધી શાળા કોલેજમાં અનેક લેખકોની નવલકથા, વાર્તાઓ વાંચી છે. જ્યારે હું પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો ત્યારે મને બાળવાર્તાઓ વાંચવાનો ખુબ શોખ હતો અને ઘણીબધી વાર્તાઓ મેં વાંચી હતી. ત્યારબાદ અચાનક વાર્તાઓ અને પુસ્તકો વાંચવામાંથી રસ ઉડી ગયો. એક દીવસ પ્રતિલિપિ નામના સાહિત્યના ડીઝીટલ પ્લેટફોર્મ પર મેં એક નવલકથા વાંચી. "દીલ કબુતર". આ નવલકથાના લેખક છે "જતિન આર. પટેલ 'શિવાય'". આ નવલકથા વાંચતા વાંચતા અચાનક મને પણ લખવાનો વીચાર આવ્યો. અને સૌપ્રથમ "ખામોશી" શીર્ષક સાથે મેં એક નવલકથા લખવાનો પ્રયાસ કર્યો. સાહિત્યના ડીઝીટલ માધ્યમ જેવા કે પ્રતિલિપિ, માતૃભારતી અને સ્ટોરીમીરર ને કારણે મારી નવલકથા વાંચવા માટે પુરતાં વાંચકો મળી રહ્યાં. વાંચકોને આ નવલકથા ખુબ પસંદ આવી અને તેઓએ પોતાના અભીપ્રાય આપ્યાં જેની કારણે આગળ વધારે લખવાં માટે મને પ્રેરણા મળી. ખરેખર લેખક જે લખે છે તે વાંચક સુધી પહોંચે અને વાંચક પોતાનો અભિપ્રાય લેખકને આપે તો જ લેખકની જે-તે રચના સફળ થતી હોય છે. ખામોશી નવલકથા લખ્યા બાદ "પ્રેત સાથે ઈશ્ક" શીર્ષક સાથે એક નવલકથા સાહિત્યના ડિઝીટલ પ્લેટફોર્મ પર પ્રકાશિત કરી. મને ટાંચણી જેટલી પણ આશા ન હતી કે આ નવલકથા વાંચકોના દીલ સુધી પહોંચી જશે અને વાંચકોનો ખુબ સારો પ્રેમ મળી રહેશે.