We will fetch book names as per the search key...
મૂરઝાઇ ગયેલી ઇતિમાં કેવી રીતે નવજીવનનો સંચાર થાય છે. અરૂપનો સ્નેહ કઇ ઉંચાઇએ પહોંચે છે... એનું હ્રદયસ્પર્શી આલેખન, મનને રણઝણાવી રહે છે. એ માટે તો આખું પુસ્તક વાંચવું જ રહ્યું.અનેક પ્રસંગોનું ભાવવાહી ચિત્રણ સહ્દયી ભાવકોની આંખો અવશ્ય ભીંજવી જશે. અંતે આકાશના તારામાં જાણે અનિકેતને નીરખી રહ્યો હોય તેમ અરૂપ તારો બની ગયેલા દોસ્તની મનોમન માફી માગતા બોલી ઉઠે છે..દોસ્ત, મને માફ કરીશ ને? શીર્ષકના આ શબ્દો સાથે નવલકથા પૂરી થાય છે. આ પુસ્તકને વરસ 2014નો બેસ્ટ બુક ઓફ ધ યર્નો એવોર્ડ કલાગુર્જરી, મુંબઈ દ્વારા મળેલો છે